શ્રાવણ માસમાં સોમવારનું વિશેષ મહત્વ છે. સોમવાર એ હિમાંશુ એટલે કે ચંદ્રનો દિવસ છે. ચંદ્રદેવની પૂજા કરવાથી શિવજીની પૂજા પણ આપોઆપ થઈ જાય છે, કારણકે ચંદ્રનું નીવાસસ્થાન ભુજંગ ભૂષણ ભગવાન શિવનું શીશ છે. તેથી શ્રાવણ માસનો સોમવાર વિશેષ મહત્વ ધરાવે છે. શ્રાવણ માસના દરેક સોમવારે કેટલીક વિશેષ વસ્તુ અર્પણ કરવામાં આવે છે. જેને શિવામુઠી કહે છે. પ્રથમ સોમવારે એક મુઠી ચોખા, બીજા સોમવારે એક મુઠી સફેદ તલ, ત્રીજા સોમવારે એક મુઠી લીલા મગ, ચોથા સોમવારે એક મુઠી જવ અને જે માસમાં પાંચમો સોમવાર આવતો હોય તો પાંચમા સોમવારે સાથવો ચઢાવવામાં આવે છે.
No comments:
Post a Comment