કેળાની છાલ નકામી છે એમ સમજીને ફેકી દઈએ તે જ્ઞાનમાર્ગ કહેવાય. તે છાલ પણ ઉપયોગી છે એમ સમજી પ્રેમભાવથી ગાયને ખવડાવી દઈએ તે ભક્તિ માર્ગ કહેવાય. નકામી ગણીને ફેંકી દીધેલી છાલ કોઈને લપસવાનું કારણ બનશે. ગાયને પ્રેમભાવથી ખવડાવેલી છાલ દૂધ બની જીવનને પોષનારી બનશે. આ રીતે જ્ઞાનમાર્ગમાં લપસવાનો ભય છે. ભક્તિમાર્ગમાં આવો ભય નથી. પ્રભુ સમીપે પ્રેમ અને આનંદ સાથે કાર્ય - સેવાના કાર્યો કરીએ એટલે ભક્તિમાર્ગ.
No comments:
Post a Comment