Monday, June 10, 2019

શું જોઈએ છે તે પહેલા નક્કી કરો

   આજના યુગમાં સમાજમાં એવી અનેક શિક્ષિત વ્યક્તિઓ છે કે જેઓ બધી રીતે સુખી સંપન્ન છે અને પોતાની ફરજ પણ કુશળતાપૂર્વક બજાવે છે. છતાં એવું કહેતા સંભળાય છે કે સુખ - શાંતિ ક્યારે મળશે? જ્યારે જુઓ ત્યારે દૈનિક જીવનચર્યાની 'હાય - વોય.' આવી વ્યક્તિઓના જીવન પ્રત્યેના વિચારો જ કંઈક જુદા જણાય. રણમાં રેતી મળે, દરિયામાં ખારું પાણી મળે અને આંબા પર મીઠી કેરી મળે. આ વાત તેમને સમજાતી નથી. માનસિક સ્થિતિ જ વિપરીત દિશામાં જતી હોય ત્યારે શું થાય? શિક્ષણ છે, સુખી પરિવાર છે, બે છેડા સરળતાથી ભેગા થાય છે છતાં સુખ - શાંતિ માટે બૂમો પાડવી? જે છે તેનાથી વધુ શું જોઇએ છે? નક્કી કરો અને મચી પડો તો ચોક્કસ મળશે. કોઈને પરિસ્થિતિની ફરિયાદ કરવાથી કંઈ હાંસલ થવાનું નથી. 

2 comments: