Monday, June 10, 2019

અન્ય સામે બુદ્ધિશાળી થવું સરળ

   જાહેરમાં ભાષણનો તો સાંભળ્યા જ હશે. વક્તાની વાણીથી ખૂબ પ્રભાવિત થયા હશો. પણ જરૂરી નથી કે તે બોલે તે બધું જ સાચું અને એનું મૌલિક હોય. તે ઉપરાંત જે બોલાતું હોય એ બધું તે વ્યક્તિ પાળતી હોય. આ મોટી સચ્ચાઈ છે. બીજાને શીખવનારા, પ્રભાવિત કરનારા લોકો પોતે આટલા સમર્થ, સારા કે શ્રેષ્ઠ હોય એ જરૂરી નથી હોતું. છેવટે તો તે પણ માણસ જ છે અને માણસ માત્ર પોતાની સામેવાળાને આંજી નાખવાની કળા વિકસાવી શકે છે. આવી વ્યક્તિને તેની પોતાની સાથે ચોવીસ કલાક વીતાવવાના હોય છે. તેમાં તેને તકલીફ પડે છે તે સમજજો.તેને જો બે - ચાર દિવસ ભાષણ આપવાનું ન હોય તો તે રહી ન શકે. ઉપાય એક જ છે,  કે રોજેરોજ આપણામાં સુધારો કરવો, શું બોલ્યા, ક્યાં બોલ્યા, કેવું બોલ્યા એ વિચારવું. તમામ સમસ્યાનો ઉકેલ મળી જશે. 

No comments:

Post a Comment