પરીક્ષામાં ઉતીર્ણ થવું, ઉપાધિ મેળવવી, નૌકરી મેળવવી, પરણી જવું અને જીવનમાં સ્થિર થવું એટલું જ માત્ર શિક્ષણ નથી. પક્ષીઓને સાંભળવા શક્તિમાન થવું, આકાશને નિહાળવું, વૃક્ષની અસાધારણ શોભાનાં અને ટેકરીઓનાં આકારનાં દર્શન કરવાં અને તેમને અનુભવવા, તેમના સાચેસાચ અને સીધા સંપર્કમાં આવવું તે શિક્ષણ છે. તમે જેમ મોટા થાઓ છો તેમ કમભાગ્યે આ જોવાની અને સાંભળવાની સંવેદના અદ્રશ્ય થાય છે. કારણકે પછી તો તમારે ચિંતાઓ હોય છે, તમારે વધારે પૈસા જોઈએ છે. ચડિયાતી કાર જોઈએ છે, વધારે કે ઓછા બાળકો જોઈએ છે. તમે ઝેરીલા, લાલચુ, લોભી, ઈર્ષાળુ બનો છો તેથી આ પૃથ્વીનું સૌંદર્ય નિહાળવાની દ્રષ્ટિ ગુમાવો છો. તમે જો હવે પુસ્તકોમાંથી નહીં પણ તમારી આસપાસ જે બની રહ્યું છે તે નિહાળીને એને સાંભળીને, વિચારવાનો, જોવાનો અને શીખવાનો આરંભ કરશો તો તમે એક જુદા જ માનવી તરીકે - જે બીજાની દરકાર કરે છે, જેનામાં પ્રેમ છે, જે લોકોને ચાહે છે એવા માનવી તરીકે જીવશો.
No comments:
Post a Comment