Sunday, June 9, 2019

વિઘ્નોને માત આપી આગળ વધતા રહો

   સફળતા પ્રાપ્ત કરવા માટેનાં અનેક સોપાન વિશે તમે સાંભળ્યું હશે. સફળતા માટે પોઝિટિવ થિંકિંગ, આત્મવિશ્વાસ, પ્રબળ ઇચ્છાશક્તિ અને સાથે સખત મહેનતની જરૂર હોય છે પણ તેની સાથે એક બીજા પોઇન્ટ પર પણ વર્કઆઉટ કરવું જરૂરી છે અને એ છે નિયમિતતા,  તો આજે સફળતાનાં સોપાન વિશે જ વાત કરીશું. 

   આપણે જાણીએ છીએ કે પ્રયત્નમાં રહેલી અખંડિતતા પથ્થરને  પણ પીગળાવી શકે છે. આ માટે એક ઉદાહરણ જોઈએ. એક વિદ્યાર્થી  હતો. તે હંમેશા પરીક્ષામાં નિષ્ફળ જતો હતો. એક દિવસ તેને સખત મળતી નિષ્ફળતાથી તેના ગુરુજી વિદ્યાર્થીથી કંટાળી ગયા અને તેને આશ્રમમાંથી કાઢી મુક્યો. તે ચાલતા ચાલતા એક કુવા પાસે આવ્યો. વિદ્યાર્થીને તરસ લાગી એટલે તે ત્યાં જ રોકાયો અને તેણે પાણી પીધું અને નિરાશ થઈને ત્યાં જ બેસી રહ્યો. 

   એટલામાં એક સાધુ ત્યાંથી નીકળ્યા.  તેમણે આ બાળકને જોયો અને આ રીતે ઉદાસ થવાનું કારણ પૂછ્યું. બાળકે જણાવ્યું કે હું એક વિદ્યાર્થી છું, ગમે તેટલું કરું તો પણ મને સફળતા નથી મળતી. આ સાંભળીને સાધુએ તેને કહ્યું કે જો આ કૂવાની પાળી  પર ઘડાનાં ગોળ નિશાન કેટલા ઊંડાં પડી ગયા છે.  તને  ખબર છે આનું શું કારણ છે,  કારણકે અહીં રોજ આ જ જગ્યા પર ઘડો મુકવામાં આવે છે.  રોજના આ પ્રયાસે પથ્થરને પણ પીગળાવી દીધો અને અહીં આ આકાર થઈ ગયો. તું મહેનત તો કરે છે પણ તારા અભ્યાસમાં નિયમિતતા નથી. જો તું વર્ષના પ્રારંભથી નિયમિત અભ્યાસ કરીશ તો કોઈ તાકાત તને સફળ થતા નહીં રોકી શકે.  ટૂંકમાં કહીએ તો સફળતા માટે કન્ટિન્યુટી જરૂરી છે. ઘણા લોકો સફળતાને આડે થોડાં વિઘ્ન આવતા તે માર્ગને છોડી  દે છે અને પછી નિષ્ફળતા માટે ફરિયાદ કરતા રહે છે. તો સફળતા માટે નિર્ધારિત કરેલા માર્ગે સતત ચાલતા રહેવું એ પણ સફળતાની એક ચાવી છે. 

No comments:

Post a Comment