હિમાલયના શાંત પ્રદેશમાં એક વખત કેટલાક લોકો સંત ગંભીરનાથ પાસે આવ્યા અને લોકસમૂહમાં આવી ઉપદેશ આપવા જણાવ્યું. સંતે હસીને ના પાડી. તેમણે કહ્યું કે, હું શાંતિથી નિરાંતે સાધના કરી શકું છું. તેમ છતાં લોકોએ આગ્રહ કર્યો અને તેમને ઉપદેશ આપવા જણાવ્યું. ગંભીરનાથે કહ્યું, "જુઓ અને વિચારો." ત્રણ શબ્દો કહ્યા બાદ મૌન ધારણ કરીને તેઓ ધ્યાનમાં બેસી ગયા. ખુબ વિચાર્યા બાદ જણાયું કે, બાબાએ જે ત્રણ શબ્દો કહ્યા તે જ રહસ્ય હતું. મૌન જુઓ, ને મૌનના મૂલ્ય વિશે વિચારો. ઈશ્વરપ્રાપ્તિનો એ જ સાચો માર્ગ છે.
No comments:
Post a Comment