Monday, June 10, 2019

વિશ્વાસ આત્મીયતા ઊભી કરે છે

   'વિશ્વાસ' એક એવી શક્તિ છે જે સાચા અર્થમાં બે વ્યક્તિઓ વચ્ચે આત્મીયતા ઊભી કરે છે. સહકાર અને સદ્દભાવ સર્જે છે, પરંતુ જો એકબીજા પર વિશ્વાસ ના હોય તો સંબંધો ઈમારત, રેતીની ઇમારતની જેમ ગમે ત્યારે કડડભૂસ થઈ જાય છે. કોઈને તમારા મનની વાત કરતા પહેલા એ ખાતરી કરી લો કે જેને તમે તમારી વાત કહી રહ્યા હો તે એના સુધી જ મર્યાદિત રહેશે. કેટલાક ઘરોમાં એવું જોવા મળે છે કે, નાની વાતોને પણ મોટું સ્વરૂપ આપવામાં આવતું હોય છે. આવા કુટુંબોનો સંપર્ક એવો ઝડપી હોય છે તમે કોઈ વાત કરો, પાંચ મિનિટ પણ નહીં લાગે અને ઘરના દરેક સભ્યો દ્વારા આપના સામે એ આવી જાય છે. ત્યારે તમને થશે કે તમે આ વાત ક્યાં કરી? 

No comments:

Post a Comment