Monday, June 10, 2019

જે પકડાય તેનો જ દોષ

  રહિમન વે નર મર ચુકે જે કહું માંગન જાયે
  ઉનસે પહલે વે મુએ જિન મુખ નિકસત નાહી 

  રહીમદાસે કહ્યું છે કે, જે કંઈ પણ કોઈની પાસે માંગે તે મૃત્યુ પામેલ કહેવાય. આ વાત એટલે યાદ આવી કે, આજે આપણી સ્થિતિ મોટાભાગે આવી જ છે. કોઈને નાણાં, કોઈને કીર્તિ, કોઈને સત્તા તો કોઈને માન-સન્માન જોઈએ છે. માગીને ભેગું કરવું છે. સ્વયં સામેથી મળે તેવું કોઈ કાર્ય કરવું નથી. હવે તો ટેલિફોન પર પણ વિવિધ સેવા મેળવવા સામેથી કહેવાય છે કે, આટલા તમે આપો તો અમે તમને 'ફલાણું' આપીએ. બધે જ દુકાનો ચાલે છે, કારણકે ગ્રાહક છે અને ગ્રાહક છે એટલે દલાલ પણ છે. ટાંકણીના છેડે લોટ ચોપડી નદી કે દરિયામાં નાખી એટલે માછલી ફસાય. વાંક કોનો? ફસનારનો જ. જે પકડાય તેનો જ દોષ. 

No comments:

Post a Comment