Monday, June 10, 2019

વિદ્યાર્થી જીવનમાં સૌથી વધુ સિદ્ધ કરવા યોગ્ય શું?

   વિદ્યાર્થીજીવનમાં જો કંઈ સિદ્ધ કરવા જેવું તત્વ મને લાગ્યું હોય તો તે જીવનકાળ છે. જે જીવવાની કળા હસ્તગત કરે છે તેને સાધનો અને સગવડની ઉણપ વિશે ફરિયાદ કરવાપણું હોતું નથી. જે આ જીવનકળા જાણતો ન હોય તે હંમેશા આ નથી, તે નથી, આવું નથી, તેવું નથી, એવી ફરિયાદ કર્યા જ કરે છે અને તેની સન્મુખ ગમે તેટલાં અને ગમે તેવાં સાધનો ઉપસ્થિત હોય તો પણ તેને એનું મૂલ્ય સમજાતું નથી, કારણકે તે જંગલમાંથી મંગલ કરવાની કળા જ ધરાવતો નથી. પરિણામે એવા વિદ્યાર્થી મળેલ સગવડના લાભથી વંચિત રહી જ જય છે અને ભાવિ સગવડના લાભો તો માત્ર તેમના મનોરાજ્યમાં જ રહી ઊલટી વ્યાકુળતા ઉભી કરે છે.  તેથી આપણે ગમે તે ક્ષેત્રમાં ગમે તે કરતા હોઈએ,  છતાં એમાં જીવનકળાની જ પ્રથમ જરૂર છે. 

No comments:

Post a Comment