Monday, June 10, 2019

પ્રસન્ન રહો અને સફળતા મેળવો

   મનની પ્રસન્નતાને સફળતા સાથે સીધો સંબંધ છે. મન પ્રસન્ન હોય તો માનસિક શક્તિમાં આપોઆપ વૃદ્ધિ થાય છે. સમર્થ ગુરૂ રામદાસે કહ્યું છે કે, 'મનની પ્રસન્નતાથી માનસિક અને શારીરિક કષ્ટ દૂર થઈ જાય છે.' પ્રસન્નતાને અને સફળતાને એક એ રીતે પણ સંબંધ છે કે જો મન દુઃખી હોય અને ગમગીની સાથે કામ કરવામાં આવે તો તમારું સમગ્ર ધ્યાન તમારા મૂડ પર અને તકલીફ પર જ રહેશે, પણ જો તમે બધું જ ભૂલીને પ્રસન્નચિત્તે કામ કરશો તો મનની તમામ શક્તિને તમે એ કામમાં લગાવી શકશો જેથી બહુ સરળતાથી તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. તો સફળતા અપાવતી પ્રસન્નતા મેળવવા ની થોડી ટિપ્સ જાણી લઈએ.
  •  સકારાત્મક વિચારસરણીનું મહત્વ સમજો. જે પણ ઘટના બને તે સકારાત્મક રીતે લો. કોઈ કામ અધૂરું રહે કે તેમાં નિષ્ફળતા મળે, તો પણ તમે નેગેટિવ ન બનો. આજે અધૂરા રહેલા કામ કાલે જરૂર પૂર્ણ થશે તે વિશ્વાસ રાખો.
  •  જાતનું સન્માન કરો અને જાતને મહત્વપૂર્ણ માનો. આ ભાવના મનને પ્રસન્ન રાખે છે. આત્મસન્માનથી સફળતાનો માર્ગ પણ મોકળો બને છે. જો તમે લઘુતાગ્રંથિથી પીડાતા રહેશો તો આ મર્યાદા તમને સક્સેસથી હંમેશા દૂર રાખે છે.
  •  આત્મસન્માન સાથે પોતાના કામનું પણ સન્માન કરો. ક્યારેક ખુદની કૃતિને પણ વખાણો. આ aatmનથી પણ પોતાના કાર્ય અને મહેનત નું સન્માન છે.
  •  સહ કર્મચારી કે બોસની ખામીઓના શોધો પરંતુ આપણી મર્યાદા ને શોધી તેને દૂર કરવાનો પ્રયાસ શરૂ કરી દો મર્યાદા ને લઈને ક્યારેય હતાશ ન થાવ પૂર્ણ કોઈ નથી હોતું પણ પૂર્ણતા તરફની ગતિ જ સફળતા તરફ લઈ જાય છે.
  •  વ્યક્તિત્વની પ્રભાવશાળી બનાવો સુંદર આકર્ષક મનમોહક બાહ્ય વ્યક્તિત્વ ની અસર આંતરિક ભાવો પર પણ પડતી હોય છે તમે જ્યારે સુંદર દેખાતા હશો ત્યારે તમે બધું કોન્ફિડન્ટ ફીલ કરશો.

   

No comments:

Post a Comment