હેનરી ડેવિડ થોરોની પંક્તિઓ છે : સુખ પતંગિયાં જેવું છે તેની પાછળ દોડશો તો હાથમાં નહીં આવે પણ હ્ર્દયને ફૂલ જેવું સુંદર - સુગંધી રાખશો તો હળવેથી આવીને ખભા પર બેસી જશે. મહાભારત લખ્યા બાદ વ્યાસજી ઉદાસ બેઠા હતા. નારદજીએ પૂછ્યું કે, મહાન સર્જન બાદ પણ આનંદ કેમ નથી? વ્યાસજીએ કહ્યું કે, જવાબ તમે જ આપો. નારદજીએ જવાબ આપેલો કે, તમે જ લખ્યું તેના કેન્દ્રમાં માનવી છે, વિવાદ છે, ષડયંત્રો છે, યુદ્ધ અને વિનાશ છે, હવે એવુ સર્જન કરો કે કેન્દ્રમાં ભગવાન હોય, ત્યારબાદ વ્યાસજીએ ભાગવતની રચના કરી.
No comments:
Post a Comment