Monday, June 10, 2019

મળ્યું એને મેળવવા મથામણ કર નહીં

   ભગવાનના દર્શન કેવી રીતે થાય? આ કરું કે પેલું કરું? વાંચ્યું, સાંભળું તે મનમાં ભરી કર્મના કાંડો કર્યા પણ ભટકી ગયા. ભગવાન મળેલો જ છે, મેળવવા કશું જ નથી કરવાનું. અંદરનો ખાલીપો જ ભગવાનની પ્રાપ્તિ કરાવે. મોકળા મને તેના ગુણગાન - ભજન ગાઓ. આ અંગે જાણીતા કવિ રાજેશ વ્યાસ 'મિસ્કીન' એ જનકલ્યાણ માં લખ્યું છે. તેમના જ શબ્દો જોઇએ:
           જે સતત વચ્ચે નડે છે, એ હટાવી જો જરી, 
           દૂર ને દૂર થાતો જા નહી હાથે કરી, 
           વાત છે ખાલી થવાની, તું વધારે ભર નહીં... 
          પાત્રતા એ જ સાચી, સાવ ખાલીખમ્મ થા, 
        આવડે એવા સહજ ખુલ્લા અવાજે ગીત ગા
         કોઈ ભૂલચૂકથી કે કોઈ શ્રાપથી તું ડર નહીં. 

No comments:

Post a Comment