ભગવાનના દર્શન કેવી રીતે થાય? આ કરું કે પેલું કરું? વાંચ્યું, સાંભળું તે મનમાં ભરી કર્મના કાંડો કર્યા પણ ભટકી ગયા. ભગવાન મળેલો જ છે, મેળવવા કશું જ નથી કરવાનું. અંદરનો ખાલીપો જ ભગવાનની પ્રાપ્તિ કરાવે. મોકળા મને તેના ગુણગાન - ભજન ગાઓ. આ અંગે જાણીતા કવિ રાજેશ વ્યાસ 'મિસ્કીન' એ જનકલ્યાણ માં લખ્યું છે. તેમના જ શબ્દો જોઇએ:
જે સતત વચ્ચે નડે છે, એ હટાવી જો જરી,
દૂર ને દૂર થાતો જા નહી હાથે કરી,
વાત છે ખાલી થવાની, તું વધારે ભર નહીં...
પાત્રતા એ જ સાચી, સાવ ખાલીખમ્મ થા,
આવડે એવા સહજ ખુલ્લા અવાજે ગીત ગા
કોઈ ભૂલચૂકથી કે કોઈ શ્રાપથી તું ડર નહીં.
No comments:
Post a Comment