Monday, June 10, 2019

ગાગરમાં..... સાગર

લોકો કથામાં બેસે છે ખરા..... પણ કથા એમના મગજમાં બેસતી નથી. ઘરમાંથી પ્રેમ જાય છે ત્યારે કંકાશ અંદર ઘૂસી જાય છે. 
જેના હૃદયમાં પ્રેમભાવના નથી તે જ ખરો "હૃદયરોગી" છે. ગુસ્સો ને ક્રોધ અશાંતિની આમંત્રણ પત્રિકા છે.
ખોટા શોખ ઘણીવાર શૉકમાં ફેરવાય જાય છે.
સ્મરણશક્તિ તેજ બનાવી છે તો નકામી વસ્તુ ભૂલવા માંડો. 
તાળું અને ચાવી જીવનના બંધન અને મુક્તિની યાદ અપાવે છે.
કૃષ્ણની બંસી બનવા માટે વાંસને વીંધાવવું પડે છે એ ન ભૂલતા.
આંખ ખુલે તેને "ઉઠ્યા" કહેવાય. દ્રષ્ટિ ખુલે તેને "જાગ્યા" કહેવાય. 
દરેક અંધકારય રાત્રિ (દુઃખ) પછી પ્રકાશમય સૂર્યોદય (સુખ) આવે જ છે. 
પૈસો ઘર છોડી જાય ત્યારે..... "આવજો" કે "ફરી મળીશું" કહેતો નથી. 
ત્રણ ઇંચની નાની જીભ છ ફૂટના માણસને કાપી નાખવા સમર્થ છે.

No comments:

Post a Comment