Monday, June 10, 2019

પરાવલંબન જ આળસનો પાયો

   સ્વાવલંબન એ પાશ્વાત્ય સંસ્કૃતિનો પાયો છે. મહેનતનું ફળ લેવું. મહેનત વગર કઈ મેળવશો તો તે ગુમાવવાનો વારો આવશે. રશિયામાં એક મહાનુભાવે મજૂરોની વસ્તીમાં પેન, ચોકલેટ વહેંચવાની શરૂઆત કરી. કોઈએ ન લીધા. તેણે કહ્યું કે, આ ભેટ છે, પણ મજુરોએ જવાબ આપ્યો, મહેનત કરીને જ અમે મેળવીએ છીએ. અન્ય પાસેથી મળેલું ઓશિયાળા બનાવે. આ વિચાર ક્રાંતિ કહેવાય. મફતમાં, દાનમાં કે ભેટમાં કંઈ પણ ન સ્વીકારવું જોઈએ. ધર્મ પરિશ્રમને જ ઉજાગર કરે છે. જે રાષ્ટ્રમાં સમાજસંવર્ધક, સમાજરક્ષક, સમાજપોષક એવા શ્રમની પૂજા થાય તે રાષ્ટ્ર વૈભવના પગથિયે ચડે. 

No comments:

Post a Comment