Tuesday, June 11, 2019

માનસિક શાંતિના સચોટ ઉપાયો

પારકી પંચાત કરશો નહીં.
 તમામ પરિસ્થિતિમાં શાંત રહેજો.
 કડવા ઘૂંટડા ગળી જજો. કદી જીવ બાળશો નહીં.
 ભૂતકાળ પર આસુ સારસો નહીં.
 તમારા વખાણ બીજા લોકો કરે એવું ઝંખશો નહીં.
 કદી કોઈની ઈર્ષ્યા કરશો નહીં.
 જે અનિવાર્ય હોય તે સહન કરી લો.
 તમારી ફરજ ક્યારેય ચૂકશો નહીં. 
 સતત સત્કાર્યોમાં જ પરોવાયેલા રહો.
 મનને  ક્યારેય નવરું રાખશો નહીં.
 અવરોધનો સામનો કરજો. હંમેશા ધીરજ રાખજો.
 સારા નરસાનો વિવેક કરતા શીખજો.
 દેખાદેખીથી દૂર રહો. લાલચમાં કદી ના લપટાવ. 
 જરૂરિયાતો ઘટાડી, કરવા યોગ્ય કામ જ કરો.
 વિચાર, વાણી, વર્તનમાં સંયમ રાખો.
 માંગ્યા વગર સલાહ આપશો નહીં.
 દલીલબાજીથી દૂર રહેજો. તમે તમારી જાતને સુધારો.
 તમારા કામની બીજા પાસે આશા ન રાખો.
 દુઃખોને ઈશ્વરની પ્રસાદી ગણીને સ્વીકારો.
 ફળની આશા રાખ્યા વગર કર્તવ્ય કર્યે જાવ.

 जो मेरे भाग्य में नहीं है, वो दुनिया की कोई भी शक्ति मुझे नहीं दे सकती
 और मेरे भाग्य में है, उसे दुनिया की कोई भी शक्ति छीन नहीं सकती

No comments:

Post a Comment